ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ભાવનગર પ્રવાસ:PM પ્રવાસ રૂટનું કર્યું નિરીક્ષણ-PM Bhavnagar tour

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો ભાવનગર પ્રવાસ:PM પ્રવાસ રૂટનું કર્યું નિરીક્ષણ-PM Bhavnagar tour

0

 

ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી, ભાવનગર મુલાકાત 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/PM
મોદીના પ્રવાસ અંગે ગુજરાત સરકાર તેમના ભવ્ય સત્કાર માટે અને પ્રવાસમાં પીએમ મોદીની સભા-સરઘસ રૂટ માટે વેલ મોનીટરીંગ થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાવનગર પ્રવાસને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ભાવનગર ખાતે રોડ શોના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.તેમની સાથે મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ભાવનગર રેન્જ આઇજી Ips અશોક યાદવ પણ જોડાયાં હતા.જેઓએ તમામ રૂટ પર સુરક્ષા, લગતી વિગતો આપી હતી તેમજ આયોજનની માહિતી મેળવી હતી.PM Bhavnagar tour

ભાવનગર -pm ભાવનગર મુલાકાત એડવાસ નિરીક્ષણ 

PM ઘરઆંગણે આવતાં હોય, મોટી ભીડનું પૂર્વાનુમાન,ડોમ અને રોડ શોના રસ્તાઓ ટૂંકા પડશે : હર્ષ સંઘવી-PM Bhavnagar tour

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી તારીખ 29 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે.PM Bhavnagar tour આ મુલાકાત પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે  ભાવનગરની મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવી આજે બપોરે ભાવનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા.અને બાદમાં તેઓએ જે જગ્યાએ  વડાપ્રધાનનો રોડ શો યોજાશે તે રૂટનું તેઓએ જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણવ્યું હતું કે જે પ્રકારે ભાવનગર , અમરેલી અને બોટાદ જિલ્લાની પ્રજાનો ઉત્સાહ છે તે જોતા લાગી રહ્યું છે કે આ ડોમ અને જ્યાં રોડ શો યોજવાનો છે તે રસ્તાઓ ટૂંકા પડશે.PM Bhavnagar tour



ભાવનગર: રોડ શોને લઈને રૂટની  સમીક્ષા કરી-PM Bhavnagar tour

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેટલીક જગ્યાએ કારમાંથી નીચે ઉતરીને વડાપ્રધાનના રોડ શોને લઈને રૂટની  સમીક્ષા કરી હતી અને રોડ ઉપર જ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાહર મેદાન ખાતે સભા સ્થળનું પણ નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમને આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે સબંધિત પોલીસ તંત્રનું ધ્યાન દોર્યું હતું. આ દરમિયાન હર્ષ સંઘવીની સાથે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી6 તેમજ સંસદસભ્ય ભારતીબેન શિયાળ અને ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખ, પ્રદેશ ઉપાધ્યક્ષ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.PM Bhavnagar tour

સંસ્કૃતિને અનુરુપ ગરબા રમવા જોઇએ : હર્ષ સંઘવી-PM Bhavnagar tour

હર્ષ સંઘવીએ આ મુલાકાત સમયે રેન્જ આઈજી અશોક યાદવ અને જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર તેમજ ડીડીઓએ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રાજ્ય ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા. તો વળી સભાના આયોજન ઉપરાંત આજથી પ્રારંભ થતા શારદીય નવરાત્રી પર્વને લઈને યુવાનોને અપીલ કરી હતી કે નવરાત્રી પર્વ આસ્થાનું પર્વ છે. ત્યારે આપણે આપણી સંસ્કૃતિને અનુરુપ ગરબા લઈને આ પર્વ ઉજવવું જોઈએ.તેવું પણ સૂચન કર્યું હતું.PM Bhavnagar tour

Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878


Post a Comment

0Comments
Post a Comment (0)