'રેવડી' મીઠી હોવા છતાં કેમ ઉઠી રહ્યાં છે.તેની ગુણવત્તા પર સવાલ.?આવો જોઈએ.Sweet revadi

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

'રેવડી' મીઠી હોવા છતાં કેમ ઉઠી રહ્યાં છે.તેની ગુણવત્તા પર સવાલ.?આવો જોઈએ.Sweet revadi

0
મફત ની રેવડી નહી પણ અસલ મીઠી રેવડી ની તસ્વીર 

ધ્રુવ પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/રાજકીય ગલિયારાઓમાં અવારનવાર અવનવા શબ્દોની બોલબાલા થતી રહે છે. કેટલાક શબ્દો એવા હોય છે જે ચર્ચાનો વિષય બને છે. આવો જ એક શબ્દ 'રેવડી કલ્ચર' છે.Sweet  revadi આજકાલ રાજકારણમાં ખૂબ ચર્ચામાં છે.અને આ શબ્દ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા તેની પર ટ્રાયલ શરૂ થઈ છે.કોર્ટે આ મામલે ઇલેક્શન કમિષ્ણનું ઓપીનીયન પણ લીધું છે.જ્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જનતાને આપવામાં આવતી આ મફત યોજનાઓને લોકતંત્ર અને દેશના આર્થિક વિકાસ અને ઉઠ્ઠાંન માં 'રેવડી સંસ્કૃતિ'ને ઘાતક ગણાવીને તેના પર સવાલ ઉઠાવ્યાં છે.ત્યારે આવો જોઈએ આ રેવડી પર એવું ઘણું બધું જે તમને જોવું ગમશે.


Sweet  revadiઆ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે રાજકીય ઉથલપાથલ અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે ચર્ચાનો વિષય બનેલા 'રેવડી કલ્ચર' શબ્દમાં 'રેવડી' શું છે? અને તેને કેવી રીતે બનાવવામાં આવે છે.

શું છે મીઠી સ્વીટ વ્યાખ્યા માં આવતી રેવડી નું મહત્વSweet  revadi 

ભારતમાં ધર્મ ,વેદ , સંસ્કૃતિ,વ્રત,તહેવાર વગેરે નું ખાસુ મહત્વ છે.વર્ષની શરૂઆત સાથે,અહી અનેક તહેવારોની મોસમ પણ શરૂ થાય છે.Sweet  revadi અથવા તો દેશમાં એક યા બીજા તહેવારો ચાલુ રહે છે. મકરસંક્રાંતિ અને લોહરી વર્ષની શરૂઆતમાં ઉજવવામાં આવે છે.વડીલોથી લઈને બાળકો સુધી દરેક જણ ઉત્સાહિત છે.પતંગ ઉડાડવા, તલના લાડુ, સીંગદાણાની ચીકી, મમરા અને રેવડી જેવી વસ્તુઓ બજારથી લઈને ઘરો લોકોના સુધી જોવા મળે છે.Sweet  revadi 

'રેવડી' સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે-ડો.ગોવિંદ લીબાચિયા Sweet  revadi 

કાયાકલ્પ હોસ્પિટલમના તબીબ  ડો.ગોવિંદ લીબાચિયાએ જણાવ્યું હતું કે "રેવડી ના સ્વાસ્થ્ય માટે ના ફાયદા અનેક છે. રેવડી ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે મુખ્યત્વે શિયાળામાં વધુ બનાવવામાં આવે છે કારણ કે તલમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો, શરીરમાં ગરમી વધારવાની તાકાત છે.અન્ય ફાયદાઓ પણ છે.જેમાં ગોળ ની રેવડી શ્રેષ્ઠ ફાયદો કરાવે છે.ત્યારે આજે અમે તમને તે કેવી રીતે બને છે.આ સ્વાસ્થ્ય બુસ્ટ રેવડી તેની રીત વિશે જણાવીશું.Sweet  revadi 

રેવડી ની સામગ્રી અને રીત-Sweet  revadi 

સામાન્ય રીતે 'રેવડી' સફેદ તલ,અથવા ટેસ્ટ મુજબ કાળા તલમાં થી બનાવાય છે. જેમાં ઘી અને ખાંડ અથવા ગોળ નો ઉપયોગ કરાય છે.જે એકદમ ક્રિસ્પી હોય છે. પ્રથમ તલને લાઈટ બ્રાઉન રંગના તળીને બહાર કાઢી લો.પછી એક કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં ખાંડ અથવા ગોળ અને પાણી નાખીને સતત હલાવતા ત્રણ તારની ચાસણી બનાવો, ત્યાર બાદ તેમાં શેકેલા તલ નાખીને થોડા વધુ પકાવો. ધ્યાન રાખો કે આ મિશ્રણને વધારે જાડું ન બનાવો.અને ન તો તેને વધુ પાતળું રાખો. તે બાદ ગેસ બંધ કરો અને તેને એક અલગ વાસણમાં કાઢી લો.અને તેને તમારા મનપસંદ આકારમાં નાના ટુકડા કરી લો.લો મઘમઘતી રેવડી તૈયાર છે.જો કે આ તો થઈ અસલ ખાવાના ઉપયોગ માં લેવાતી રેવડી ની કે જે નિત્ય લાખો કિલો ખવાય છે.અને લોકો ને તે પ્રસાદ રૂપે નિશુલ્ક મદીરો માં અપાય છે.Sweet  revadi 


'રેવડી કલ્ચર' પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં પણ થઈ છે.રિટ પિટિશન..Sweet  revadi 

પ્રતિકાત્મક તસવીર 

રાજકીય પક્ષો દેશમાં વસતાં લોકોને મફતમાં કોઈપણ ચીજવસ્તુઓ અથવા પ્રલોભનો આપી પોતાના પક્ષમાં વોટ આપવા લલચાવે છે આ અટકવું જોઈએ કેમકે દેશનો આર્થિક વિકાસ આ લાલચો અવરોધે છે.તે મુદ્દા સાથે 'રેવડી કલ્ચર' એટલે કે મફતમાં અપાતી લહાણી મુદ્દો કોર્ટમાં ટ્રાયલ પર છે.આ પિટિશન જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ હિમા કોહલીની વડપણ સાથે  સીજેઆઈ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ આ મામલાની સુનાવણી ચાલી રહી છે.Sweet  revadi 

PM મોદીએ દેશ માટે ઘાતક ગણાવેલી 'રેવડી સંસ્કૃતિ' શું છે?Sweet  revadi 

ટ્વીટ pm નરેન્દ્રભાઇ મોદી 

પીએમ નરેન્દ્રભાઇ મોદીએ, દેશ માટે રેવડી કલ્ચર ઘાતક ગણાવ્યું હતું થોડા સમય અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરવા ઉત્તર પ્રદેશના જાલૌન પહોંચ્યા હતા. અહીં તેમણે ઓરાઈ તહસીલના કૈથેરી ગામમાં લગભગ 14,850 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બુંદેલખંડ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે.  ઉદઘાટન બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. સંબોધન દરમિયાન વિપક્ષ પર નિશાન સાધતા તેમણે રેવડી સંસ્કૃતિ શબ્દનો ઉપયોગ કર્યો હતો. કહ્યું- "આ 'રેવડી સંસ્કૃતિ'ના લોકો તમારા માટે ક્યારેય નવા એક્સપ્રેસ વે, નવા એરપોર્ટ કે ડિફેન્સ કોરિડોર નહીં બનાવે." રેવાડી સંસ્કૃતિના આ લોકોને લાગે છે કે દેશના લોકોને મફત રેવાડીનું વિતરણ કરીને તેઓ તેમને ખરીદશે. આ રેવાડી સંસ્કૃતિ દેશના વિકાસ માટે ખતરનાક છે.Sweet  revadi 

રાજસ્થાન CM અને કોંગ્રેસ લીડર અશોક ગેહલોત પણ રેવડી કલ્ચર પર કાઉન્ટર એટેક કરી ચૂક્યા છે..Sweet  revadi 

પીએમ મોદી અને cm અશોક ગહેલોત ફાઈલ તસ્વીર 

રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે થોડા દિવસ અગાઉ કહ્યું કે તેઓ સમજી શકતા નથી કે.ભાજપ ની કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ આ શ્રેણી હેઠળ આવે છે.ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'રેવડી સંસ્કૃતિ'ની વાત શા માટે કરી હતી.? ટુંકમાં તેમને નિશાન સાધતા કહ્યું હતું કે રેવડી કલ્ચર ની હમણાં ટીકા કરતાં લોકો પણ રાજકીય ઉપયોગ માટે રેવડી કલ્ચર અપનાવતા આવ્યાં છે Sweet  revadi

Post a Comment

0Comments
Post a Comment (0)