અંબાજીમાં પીએમ મોદીએ દાંતા સ્ટેટ રાજવી પરિવાર નાં પરમવીરજીત ને પૂછ્યું " હજુ કેટલું વજન વધારવું છે ? રાજવી પુત્ર PM દર્શન થી બન્યા ધન્ય : PM MODI

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

અંબાજીમાં પીએમ મોદીએ દાંતા સ્ટેટ રાજવી પરિવાર નાં પરમવીરજીત ને પૂછ્યું " હજુ કેટલું વજન વધારવું છે ? રાજવી પુત્ર PM દર્શન થી બન્યા ધન્ય : PM MODI

0
પીએમ નરેન્દ્રભાઇ મોદી અને કુંવર પરમવીરજીત પરમાર ની તસ્વીર 


રીના પરમાર ,ટુડે ન્યુઝ ગુજરાતી /બનાસકાંઠા /તાજેતરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદી જ્યારે અંબાજી સંમેલનમાં પધાર્યા ત્યારે અનેક લોકો ગુજરાતના પનોતા પુત્ર,પીએમ નરેન્દ્રભાઇ મોદીને સત્કારવા અને તેમની એક ઝલક જોવા ભારે મથામણ કરતાં જોવા મળ્યા હતા.તેમાં એક ચહેરો હતો દાંતા સ્ટેટના રાજવી પરિવાર ના કુંવર પરમવીરજીત પરમાર ..જોકે વર્ષો થી મોદી ભક્તિ રંગે રંગાયેલ કુંવર પરમવીરજીત પરમારની મહેચ્છા જાણે માં અંબે એ આશીર્વાદ આપી પૂરી કરી હોય તેવી ઘટના હાલ બહાર આવી છે.જેમાં હેલિપેડ પર પીએમ ને સત્કારવા ભાજપ પદાધિકારીઓની ટીમ માં તેઓને સામેલ થવાની તક મળી, પીએમ હેલિપેડ થી જેવા નીચે ઉતર્યા ત્યારે અનેક લોકોની સત્કાર ટીમ કતારબદ્ધ લાઈનમાં ઉભી હતી.પીએમ મોદીએ તેઓનું  સસ્મિત અભિવાદન ઝીલ્યું પણ થોડાક જ અંતરે ઉભેલ કુંવર પરમવીરજીત પરમાર પર જેવી પીએમ ની નજર ગઈ ત્યારે પીએમ ખુશખુશાલ થઈ ઊભા રહ્યા ,અને કુંવર પરમવીરજીત પરમારને કહ્યું કે ' હજુ કેટલું વજન વધારવું છે ' અને આ ખબરઅંતર ભાવ થી કુંવર પરમવીરજીત પરમાર ગદગદ થઈ ઉઠ્યા હતા.અને વર્ષો થી પીએમના દર્શનનું સ્વપ્ન પૂરું થતાં તેઓ ધન્ય બન્યા હતા.અને આ ઘટના સમગ્ર ગુજરાત માં ચર્ચિત બની હતી.PM MODI 

PM ભક્ત -કુંવર પરમવીરજીત પરમારનો શું છે રાજવી ઇતિહાસ ..?PM MODI 

અંગ્રજો શાસન સમય થી દાંતા સ્ટેટ રાજવી પરિવાર નો સુવર્ણ ઇતિહાસ છે.જેમાં પરમાર સમાજના રાજા ભવીનીસિહજી હમિરસીહજીનાં  વંશજ તરીકે કુંવર પરમવીરજીત પરમાર સમગ્ર દાંતા પંથકમાં સારી લોકચાહના ધરાવે છે.તેઓ સાધુ સંતો ની સેવા સાથે રુદ્રાક્ષ તેમજ સોનાના ઘરેણાં તેમજ આધ્યાત્મિક ટેટૂ ધારણ કરવાના શોખીન છે.તેઓનું આ રૂપ દિવ્યતાનો અહેસાસ કરાવે છે.જોકે માટેજ પીએમ મોદીએ તેમને જોઈ લાગણી ભાવે મસ્તીમાં કહ્યું હતું કે ' હજુ કેટલું વજન વધારવું છેPM MODI  ' તો વળી આ રાજવી પરિવાર ના ઈતિહાસ જોઈએતો રાજા ભવીનીસિહજી હમિરસીહજી ની પોસ્ટ ટિકિટ પણ તે સમયે ચાલતી હતી.અને માં અંબે મંદિરનો તમામ વહીવટ આ રાજવી પરિવાર તે સમયે કરતો હતો.જેમાં આ કુળના  કુંવર પરમવીરજીત પરમારનો જન્મ ૭ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. PM MODI પ્રસિદ્ધ કપાસિયા ધૂણી ના રમતા જોગી ગણાતા સંત શિવગીરીજી બાપુએ તેમનું નામકરણ કર્યું હતું.જોકે કુંવર પરમવીરજીત પરમાર પોતાના ખેતી અને હોટલ વ્યવસાય માં જોડતા તેઓ મેટ્રિક સુધી ભણી શક્યા નથી જોકે તેઓ વર્ષોથી પીએમ મોદી પરમ ભક્ત છે.અને ભગવા રંગે રંગાયેલ છે.આજે પણ તેઓ ટીવીમાં મોદીજી ના તમામ  લાઈવ શો અચૂક જુએ છેPM MODI 

 



Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)