પિતા બન્યો હેવાન,ગીર સોમનાથના તાલાલામાં તાંત્રિક વિધિના માત્ર ૧૪ વર્ષની માસૂમ દીકરીની હત્યા-Murderous father

Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें)...



.... ... .. .
Visit our New Website (અહીં નવી વેબસાઇટ જુઓ / नयी वेबसाइट यहाँ देखें) CLICK HERE!

.... ... .. .

પિતા બન્યો હેવાન,ગીર સોમનાથના તાલાલામાં તાંત્રિક વિધિના માત્ર ૧૪ વર્ષની માસૂમ દીકરીની હત્યા-Murderous father

0


રીના પરમાર,ટુડે ન્યુઝ ગુજરાતી/વિશ્વ જ્યારે ટેક્નોલોજીના યુગમાં ભૂત, પિચાશ,આત્મા જેવા શબ્દોથી ઊભા થયા દુષનોનું ખંડન કરે છે.ત્યારે આવા  યુગમાં પણ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓથી અનેકો ના જીવ ગયા છે. આવીજ એક ઘટના ગીર સોમનાથના તાલાલામાં પ્રકાશમાં આવી છે.જોકે આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો જોઈએ તો બનેલી હત્યારા પિતાએ પોતાની જ દીકરી પર ભૂત,પ્રેત ભ્યથી કરેલી તાંત્રિક વિધિ ૧૪ વર્ષની  માસૂમ દીકરીના મોતનું કારણ બની છે.Murderous father


શું હતી આ ઘૃણિત ઘટના ?Murderous father

માસૂમનો પરીવાર સાથેનો ફાઈલ ફોટો 


આ ઘટનાની વિગત જોઈએ તો આ બનાવ નવરાત્રીની આઠમ દરમિયાન બન્યો હતો.જોકે તે બાદ આ ઘટના અંગે પોલીસને ૧૨ ઓક્ટોમ્બરના જાણ થતાં,પ્રથમ પોલીસે  પુરાવા એકઠા કરીને માસૂમ દીકરીના પિતા અને પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી.જેમાં પોલીસ આ મામલે કેટલાક પુરાવા ફોરેન્સિક તપાસ માટે પણ મોકલ્યા છે.Murderous father


હાઈલાઈટ્સ:-

-તાલાલામાં તાત્રિક વિધિએ ૧૪ વર્ષની બાળકીનો ભોગ લીધો?

-રૂપિયા મેળવવાના લાલચે પિતાએ દીકરી પર કરી હતી વિધિ?

-બાળકીનું મોત થયા બાદ તેને જીવતી કરવા પ્રયાસ કરાયા હતા!

-પોલીસે પુરવા ફોરેન્સિક તપાસ માટે મોકલીને પૂછપરછ શરુ કરી


ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ઘટેલી આ કરુણાંતિકામાં માત્ર ૧૪ વર્ષની બાળકી ની નિર્મમ હત્યા થઈ હતી.આ હત્યા તાત્રિક વિધિ કરીને કરવામાં આવી હોવાની કથિત ઘટના સામે આવી છે.આ કેશમાં મરણ જનાર  બાળકી ધૈયાના પિતા ભાવેશ ગોપાલ અકબરીની માનસિક વિકૃતિએ પુત્રીનો ભોગ લીધો હોવાની શંકાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં ધંધો કરતા ભાવેશ અકબરીની પુત્રીનું આઠમા નોરતે તાંત્રિક વિધિ દરમિયાન મોત થયું હોવાની ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે બનાવના સ્થળ પરથી કુંકુ-ચૂંદડી સહિતની સામગ્રી કબજે લઈને તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે પૂછપરછ કરતા બાળકીના પિતા ભાવેશે બીમારી સહિતના ગોળ-ગોળ જવાબ આપવામાં આવી રહ્યા છે.આ કેસમાં હવન અષ્ટમીએ બાળકીની બલી ચઢાવવામાં આવી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.Murderous father


માસૂમ ની ફાઈલ તસવીર 


જે ઇનપુટ મળ્યા છે તે જોઈએ તો ૧૪ વર્ષની આ માસૂમ ને પ્રથમ ૨ કલાક સુધી તાપણાની નજીક ઉભી રાખવામાં આવી હતી.અને તેના પર શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જોકે મોડે મોડે ૧૨ ઓક્ટોમ્બર ના રોજ આ મામલે પોલીસને જાણ થતા તપાસ શરુ કરવામાં આવી છે.Murderous father

એસપી મનોહરસિહ જાડેજા નાં મોનિટરીંગ નીચે તપાસ શરૂ Murderous father

ઇન્વેસ્ટીગેસન ઓફિસર આઇપીએસ મનોરસિહ જાડેજા 


ગીર સોમનાથના તાલાલા ના ધાવાગીર ગામની વાડીમાં અંધશ્રદ્ધાની આડમાં ૧૪વર્ષની માસૂમ દીકરીનો ભાવેશે ભોગ લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાળકીનું તાત્રિક વિધિ દરમિયાન મોત થયું હતું જેમાં  તેના મૃતદેહને ચાર દિવસ સુધી ગોદડામાં લપેટેલો રાખીને તેને જીવતી કરવાના પ્રયાસ પણ મૃતકના પિતા ભાવેશ દ્વારા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.Murderous father  


આ મામલે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, એવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે માસૂમના પિતાએ કોઈને જાણ કર્યા વગર રાત્રે બે વાગ્યે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ કેસમાં તાંત્રિક વિધિ અંગે બાળકીના પિતા ભાવેશ અકબરી તથા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી પરંતુ ઘટના શંકાસ્પદ લાગી રહી છે. આ કેસમાં ફોરેન્સિક પરીક્ષણ બાદ જ બલિ ચઢાવાઈ છે કે કેમ તે અંગેની હકીકત બહાર આવશે.Murderous father


Contact us for News and Advertisement at: 8154977476 / 6356624878

Post a Comment

0Comments
Post a Comment (0)